India Launches E-Visa For Kuwaitis: ભારતે કુવૈતના નાગરિકો(Citizens Of Kuwait)ને સારા સમાચાર આપ્યા છે. કુવૈત માટે ઈ-વિઝા(E-visa) શરૂ કરવામાં આવ્યા છે. હવે કુવૈતીના લોકોને ભારત આવવા માટે ન તો વ્યક્તિગત રીતે દૂતાવાસમાં જવું પડશે કે ન તો લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડશે. તમામ પ્રક્રિયા ઓનલાઈન જ થશે.
ભારતમાં કુવૈતના રાજદૂત ડૉ. આદર્શ સ્વૈકાએ ભારત દ્વારા જારી કરાયેલા ઈ-વિઝા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હવે કુવૈતી નાગરિકો ઓનલાઈન પ્રક્રિયા(Online Process) દ્વારા ભારતીય વિઝા માટે અરજી કરી શકશે.
ઈ-વિઝા શું છે? ઈ-વિઝા એટલે કે ઈલેક્ટ્રોનિક વિઝા એ એક ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે. તે આપણને ઓનલાઈન અરજી કરીને કોઈપણ દેશમાં મુસાફરી કરવાની મંજૂરી આપે છે. આ પહેલાથી જ જારી કરાયેલા વિઝાનું ડિજિટલ સ્વરૂપ છે. ઈ-વિઝા માટે કોઈપણ દૂતાવાસમાં જવાની જરૂર નથી. સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન થાય છે.
આ 5 શ્રેણીઓમાં ઇ-વિઝા મળે છે
- પ્રવાસી વિઝા
- 2. બિઝનેસ વિઝા
- 3. મેડિકલ વિઝા
- 4. કોન્ફરન્સ વિઝા
- 5. આયુષ વિઝા
કયો વિઝા કેટલા દિવસ માટે માન્ય છે?
- પ્રવાસી વિઝા 5 વર્ષ માટે માન્ય છે.
- બિઝનેસ વિઝા 1 વર્ષ સુધી માન્ય.
- મેડિકલ વિઝા 60 દિવસ માટે માન્ય
- અન્ય ઈ-વિઝા કામકાજના 3 થી 4 દિવસ માટે માન્ય
ઈ-વિઝા માટે કેટલા પૈસા ચૂકવવા પડશે?
કુવૈતી નાગરિકોએ વિઝાના પ્રકાર અને અવધિના આધારે ફી ચૂકવવી પડે છે. આ ફી 40 ડોલર થી 80 ડોલરની વચ્ચે હશે. પ્રવાસી વિઝાનો ખર્ચ 80 ડોલર થશે. અત્રે ઉલ્લેખની છે કે વિઝા ફી ઘણા આધારો પર નક્કી થાય છે. તેમાં વિઝાનો પ્રકાર, તેના માટે અરજી કરનાર વ્યક્તિની રાષ્ટ્રીયતા અને વિઝા આપનાર દેશની નીતિઓનો સમાવેશ થાય છે.